જયાબહેન જેમનું પિયર ગોતરકા છે તે પિયરમાં બાર વર્ષથી રિસાઈ બેઠી હતી.તેને સગા વહાલાઓ એ સાસરે મુકતા તેને ગમ્યું નહી અને પરિવારને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.
પરિવાર ને પટાવી દેવાનો પ્લાન
આત્મ હત્યા,અકસ્માત ના કિસ્સાઓ તો અવાર નવાર જોવા મળતા હોય છે પણ હત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આવો જ બનાવ શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ચકચાર મચી છે.ઘરની વહુ 12 વર્ષથી પિયર માં રિસાણે બેઠી હતી. ઘણા સમય થી પિયર માં હોઈ સગા વ્હાલા તેને સાસરીએ મોકલી હતી. તેમને સાસરીમાં રહેવું ગમતું ન હતું. અને પતિ સાથે બનતું ના હતું એટલે આખા પરિવારનો કાંટો કાંટો કાઢવા માટે એ યુવતીએ ઘરના રસોઈમાં ઝેર મેળવી દેતા તેના સસરા અને દિયર ને ખવડાવ્યું જેમાં દિયર નું મોત થયું છે.સસરાની ગંભીર હાલત છે હાલ પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
શંખેશ્વર તાલુકાના ધનોરા ગામનો ચકચારી ઘટના સામે આવી છે. સાસરી પક્ષના તમામને કાંટો કાઢી નાખવા ખાવામાં ઝેર ભેળવી પીરસતા દિયારનું મોત થયું તો સાસરો મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો છે.દિયરે ભાભી વિરુદ્ધ શંખેશ્વર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શંખેશ્વર તાલુકાના ધનોરા માં એકજ પરિવાર ને પતાવી દેવાના ઇરાદે ખાવાના ઝેર ભેડવનાર વહુ સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે. ધાનોરા ગામના ગૌસ્વામી ઈશ્ર્વરગીરી કશિગીરી એ પોલીસમાં તેમના ભાભી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.તેમના નાનાં ભાઈ અશોકગીરી જેમના લગ્ન પહેલા વરસડા મુકામે થયા હતા ત્યાં છૂટું થતા સાંતલપુર તાલુકાના ગોતરકા ગામે જયાબેન સાથે થયા હતા.જ્યાં સાટા માં તેમની નાની હેતલબેન ના સાટા પેટે થયો હતો.
બન્ને ભાઈ – બહેનના સાટા પેટે 12 વર્ષ પહેલાં લગ્ન થયેલ હોય એકબીજાને મનમેળ ન હોય જેથી અશોક ગીરીની પત્ની જયાબેન પોતાના પિયર ગોતરકા મુકામે ચાલ્યા ગયેલ અને તેમની બહેન ધનોરા ખાતે આવતા રહેલ હતા.પરંતુ સમાજના માણસો ભેગા મળી બન્ને પક્ષો ને સમજવી,રાજીપો કરેલ અને ગોતરકા થી જ્યાબેન ને ધનોરા તેડી લાવેલ અને હેતલબેન ને ગતરકા સાસરીમાં મોકલી આપેલ હતી.
અશોક ગીરીના પત્ની જયાબેન ચાર દિવસ થી ધનોરા સાસરે હોય જેને 4 દિવસ થયા હતા. તેવાં માં જયાબેન ને સાસરે રહેવું ના હોઈ જેથી એક પ્લાન ઘડે છે આ પ્લેનમાં આખા પરિવારને પટાવી દેવાનો હોય છે. જ્યા રસોઈ બનાવે છે જેમાં અલગ અલગ વાસણ માં અલગ અલગ બનાવે છે. જ્યા ના સાસરા જેમનું નામ ઈશ્ર્વર ગિરિ છે તે અને મહાદેવ ગીરી જે જ્યા નો દિયર છે તે ઘરે હોય આ બન્ને ને જમવા બોલાવે છે. પહેલા જ્યા ના સસરા જમવા જાય છે તે જમીને દુકાન આગળ આવે છે.તે પછી મહાદેવ ગીરી જે જ્યા ના દિયર છે તે જમવા જાય છે.
જમ્યા બાદ જ્યાના સસરા ને ઉબક્કા ચાલુ થાય છે.અશોક ગીરી પણ ખેતરમાંથી ઘરે આવી ગયેલ છે.વધુ તબિયત લથડતાં…. તેમના બનેવી ને બોલાવી વધુ તબિયત લથડતાં પાટણ ની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે.તેવામાં મહાદેવ ગિરીની પણ તબિયત લથડે છે તેને પણ પાટણ ખાનગી હો્પિટલમાં દાખલ કરવામાં આવે છે.પરંતુ ડોકટર તેને મરણ જાહેર કરે છે.
આમ જ્યા ને અશોકભાઈ સાથે મનમેળ ન હોય અને 12 વર્ષ બાદ તેને રહેવું ન હોય તેમ છતાં તેડી લાવતા જ્યા એ સાસરી પક્ષ્ ના માણસોનો કાંટો કાઢી નાખવા રસોઈ માં ઝેર ભેળવી તેના સસરા ને જમાડી ત્યારબાદ તેના દિયર ને જમાડી બન્નેને ઉબકા ઉલટી ચાલુ થતાં પાટણ હોસ્પિટલ માં લઇ જતા દિયર નું મોત થયેલ છે.સસરા મરણ પથરી વચ્ચે સારવાર લઈ રહ્યા છે. આમ જ્યા સામે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 307,302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ વધુ પૂછ પરછ કરી રહી છે.