આમતો સરકારી મિલકત ને કોઈ નુકસાન થયું હોય તો તે નુકસાન અટકાવવું તે જવાબદારી તંત્રના જેતે ખાતાના જવાબદાર કર્મચારીની હોય છે.પરંતુ ખાતા ના જવાબદાર કર્મચારી જ્યારે સરકારી મિલકત લૂંટાતી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરે ત્યારે આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે અનેક સવાલો ઉભા થાય છે.આવી ઘટના શંખેશ્વર હદ વિસ્તારમાં બની છે.
કુંવર ગામનોસરકારી સર્વે નંબર કોણે ખોદયો??
શંખેશ્વર તાલુકાના કુંવર ગામે સર્વે નં.829 વાળી જમીન આવેલ છે જે સરકારી જમીન છે. આ જમીનમાં કેટલાક ભુ -માફીયાઓ એ સરકારી જમીન માં ખનન કરી માટી નું વેચાણ કરી દીધેલ છે.જે તે સમયે જ્યારે ખોદકામ થતું હતું તે સમયે રેવન્યુ તલાટી સાધુ હતા.સાધુ ખોદકામ સમયે સમય કારણોસર રજા પર ગયેલ હતા.તેમને ખબર પડી કે અહીંયા ખનન થઈ રહ્યું છે તો તેમણે શંખેશ્વર મામલતદાર ને જાણ કરી હતી.
મામલતદાર ને જાણ થતાં મામલતદાર સ્થળ પર આવે છે ખોદાણ થયેલ પણ નજરમાં આવે છે.મામલતદાર ને ખબર નથી પડતી કેવી રીતે તપાસ કરવી!એટલે તેઓ કેટલાક માણસોને પૂછે છે આ ખનન કોણે કર્યું?પણ કોઈ પાસે જવાબ મળતો નથી મામલતદાર પરત ઓફિસે આવી જાય છે અને ચૂંટણીના કામમાં વ્યસ્ત બની જાય છે.
આમ મામલતદાર ની જવાબદારી છે તપાસ કરવાની સરકારી જમીન કોણે ખોદી તે તપાસ કરવાની છતાં મામલતદાર તપાસ કર્યા સિવાય પરત આવી ચૂંટણીમાં વ્યસ્ત બની જાય છે.એનો સીધો મતલબ એવો થાય છે કાંતો મામલતદાર ખનન માફિયા સાથે ભળી ગયા અથવા ફરજ પર બેદરકારી દાખવી!!!
*મીડિયાના અહેવાલ બાદ તંત્રએ તપાસ કરી*
મીડિયાના અહેવાલ બાદ ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ ને ખબર પડતાં સ્થળ પર તપાસ કરી ચોકાવનારી ખોદકામ જોતા ખાણ ખનિજ વિભાગના કર્મચારી પણ ચોકી ગયા હતા.ખાણ ખનિજ વિભાગે આજુબાજુ વિસ્તારની તપાસ કરી હતી જેમાં નવીન બનતા સોલાર પ્લાંટ ની પણ તપાસ કરી હતી.સ્થળ પર સોલાર ની તપાસ પણ કરી હતી અને સોલાર માં નાખેલ માટીના સેમ્પલ લેવાયા છે ત્યારે સેમ્પલ ની તપાસ કરવામાં આવશે,વધુમાં ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ તપાસ કરવા ગયા ત્યારે સોલાર માં નાખેલ પ્રથમ દ્વષ્ટિએ ખનન થયું તે માટી હોવાની ચોકાવનારી વિગતો ખનીજ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું.
ખાણ ખનીજ વિભાગે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી
સૂત્રોના જણાવ્યા મુજબ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ખાણ ખનીજ વિભાગના કર્મચારી સ્થળ પર તપાસ કરવા જાય છે ત્યાં જે ખનન થયું તે ખડાનું માપ કરે છે.જ્યાં 20 હજાર ઘન માટી નું ખોદાણ કરેલ અનઅધિકૃત જણાઈ આવે છે.ત્યારબાદ ખનીજ વિભાગના કર્મચારીઓ ટોરેન્ટ સોલાર માં જાય છે ત્યાં રસ્તો બનાવવા નાખેલ માટીના નમૂના લે છે અને ટોરેન્ટ ના જવાબદાર મેનેજરને ખનીજ ખાતાના અધિકારીઓ પૂછતા માટી ક્યાંથી લાવી તે પ્રત્યુતર માં કોઈ સંતોષ કારક જવાબ મળ્યો ન હતો.ત્યારે ખનીજ ખાતા તરફ થી ટોરેન્ટ કંપનીને નોટિસ ઇસ્યુ કરી રસ્તાની માટી જ્યાંથી લાવ્યા તે રોયલ્ટી વિગેરે તપાસ કરવામાં આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.