અમે તમને કહેતા હતા જે દેખાય છે તે સત્ય હોતું નથી એવું અમે એટલા માટે કહેતા હતા કે ગઈ કાલે જે ગંગાબેન કહી રહ્યા હતા કે મારી દીકરી સાથે દિલીપભાઈ પ્રજાપતિએ છેડતી કરી હું છોડવા જતા મને દિલીપે માર માર્યો આવું રટણ કરતો એક વિડિયો વાયરલ થયો હતો.આ વિડિયો ની સત્યતા જાણી તો જાણવા મળ્યું કે ગંગાબેન ખોટું બોલે છે!!!
ગંગાબેન ખોટું એટલા માટે બોલી રહ્યા છે તે ઘટનાક્રમ સમજાવો જરૂરી
ગંગાબેન ના પતિ જેનું નામ રાજુભાઈ કરશનભાઈ છે આ બન્ને શેઠ કે.બી. હાઇસ્કુલ ની બાજુ માં બટાકા ડુંગળી ની લારી ઊભી રાખી વેપાર કરે છે દિલીપભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ એ પણ શેઠ કે.બી.હાઇસ્કુલ ના ગેટની બાજુમાં સમોસા ની લારી રાખી ઊભો રહે છે.આ બધા પડોશ માં કાયમી લારી પર ઊભા રહી ધંધો કરે છે.
12 તારીખે શું ઘટના બની
દિલીપ પોતે નાસ્તાની લારી લઇને ઊભો હોય છે અને પાણીનો કેરબો શેઠ કે.બી. સ્કૂલની દીવાલ નજીક મુકેલ હોય જેથી ગંગાબેન અને તેનો પતિ રાજુભાઈ બન્ને જણ દિલીપ ને કહે છે “કેમ અહી કરબો મૂક્યો છે? તેમ કહી દિલીપ સાથે ઝગડવા લાગેલ અને તેવામાં ગંગાબેન ને એક દમ ક્રોધ આવતા જે વજન કરવા માટેનું જે લોખંડનું બાટ દિલીપ ને માથાના ભાગે મારી દીધો તેના પતિને પણ ગુસ્સો આવ્યો એ પણ ગડદા પાટુનો માર મારવા લાગ્યો અને બન્ને જણ ભૂંડી ભૂંડી ગાળો બોલવા લાગેલ તેવામાં દિલીપના ભાઈએ ઝગડો થતો જોતા આ બન્ને થી વધુ માર થી દિલીપ ને છોડાવી લીધેલ હતો.
દિલીપને માથાના ભાગે લોહી વહેતા તેનો ભાઈ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે ત્યાં પણ ગંગાબેન તેનો પતિ અને અન્ય એક ઇસમ જેનું નામ છનાભાઈ જે ગંગાબેન નો ભાઈ છે તે દિલીપને જોઈ જતા છનાભાઈ એ રેફરલ હોસ્પિટમાં જઈ ને દિલીપને માથાના ભાગે લાકડી મારેલ અને મોટા અવાજે ગાળો બોલતા હોય અન્ય લોકોએ તેમને સમજાવી રેફરલ હો્પિટલમાંથી કાઢી મુકેલ હતો.
દિલીપને માર મારતાં કોના કોના વિરૂદ્ધ કઈ કઈ કલમો મુજબ ફરિયાદ કરી
(1) રાજુભાઈ કરશનભાઈ વાઘરી( દેવી પૂજક)
(2) ગંગાબેન રાજુભાઈ વાઘરી (દેવી પૂજક)
(3) છનાભાઈ કરશનભાઈ વાઘરી (દેવી પૂજક)
આઇપીસી કલમ -223,324,504,294 B,506(2),114 તેમજ GP એક્ટ 135 મુજબ.
આમ જે દેખાય છે તે સત્ય હોતું નથી ગઈ કાલે ગંગાબેને એક વિડિયો વાયરલ કર્યો હતો તેમાં સત્ય નથી તેવું નક્કી થયું હતું.12 મી તારીખે ગંગાબેન દિલીપને માર મારે છે 13 મી તારીખે વિડિયો વાયરલ કરે છે તેનો મતલબ એવો થાય કે દિલીપે ફરિયાદ કરી છે તેની અદાવત માં ગંગાબેન ખોટી રીતે દિલીપ ને ફસાવવા માગે છે ગઈ કાલ સુધી ગંગાબેન ની રાધનપુર પોલીસમાં FIR લેવામાં આવી નથી ત્યારે ગંગાબેન ખોટા પુરવાર થયા છે જો સાચા હોત તો FIR દિલીપ સામે પણ થઈ ચૂકી હોત!!!
આમ કેટલાય નિર્દોષ લોકો છેડતીની ખોટી ફરિયાદોમાં ફસાઈ ચૂક્યા છે પરંતુ ખોટું એ ખોટું,સત્ય તો મોડા વહેલું સામે આવી જ જાય છે.ખોટી ફરિયાદો કોર્ટમાં ટકી શકતી નથી સત્ય સામે આવી જ જાય છે.તો આ હતી ગંગાબેન દ્વારા મનઘડત કહાની જો સાચી હોત તો પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી હોત!!