Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાધનપુર : ટેન્કરે વૃદ્ધાને ટક્કર મારી ઇજા પહોચતા હોસ્પિટલ દાખલ થયા બાદ પણ મોત નિપજ્યું

રાધનપુર-થરા હાઇવે ઉપર રાધનપુર નજીક આવેલ સરદારપુરા ( ગામનાં પાટીયા પાસે અકસ્માત થયો હતો. સવારે 9.15 વાગ્યાનાં સુમારે એક ટેન્કરનાં ચાલકે મહિલાને ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ સાંતલપુર તાલુકાનાં હમીદપુર ગામનાં અને હાલમાં રાધનપુરમાં સરદારપુરા વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં રહેતા ગોસ્વામી મંગુબેન સરદારપુરાનાં પાટીયે વાહનની રાહ જોઈને ઉભા હતા. ત્યારે અચાનક ગેસનાં એક ટેન્કર આવી જતા તેમને ટક્કર મારી હતી.આ દરમિયાન તેમને ઈજાઓ થઇ હતી. જેથી નજીક ની રાધનપુરનાં દવાખાને લઇ જવાતા અને વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. તેમનું માથું પાછળનાં ભાગેથી છૂંદાઈ ગયું હતું. મૃતકનું પોસ્ટમોર્ટમ પાટણની સીવીલમાં કરાયું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકનાં પુત્રની ફરીયાદ આધારે ગુનો નોંધ્યો હતો.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!