રાજકોટ: રાજકોટના રાજકારણમાં પત્રિકા કાંડ મામલે રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપ કોંગ્રેસના નેતા આમને સામને આવી ગયા છે. આક્ષેપ પ્રત્યાઆક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવારના ભાઈ પર અટકાયતની લટકતી તલવાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની અટકાયતની શક્યતા જોવાઇ રહી છે. પત્રિકાકાંડમાં ક્રાઈમ બ્રાંચે શરદ ધાનાણી અંગે તપાસ હાથ ધરી છે. આ પહેલા ચાર કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવકોની ધરપકડ બાદ છૂટકારો થઈ ચૂક્યો છે. આ મામલે રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે લેઉઆ પટેલ અને કડવા પટેલ એક મગની બે ફાડ છે.
રાજકોટ લોકસભાની ચૂંટણીમાં આ વખતે પત્રિકા કાંડનો મામલો પણ ગરમાયો છે. આ મામલે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ધનાણીના ભાઈ શરદ ધાનાણી સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખૂબ જ મહત્વનું નિવેદ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લેઉઆ પટેલ અને કડવા પટેલ એક મગની બે ફાડ છે. જેની હીન્ન માનસિકતા હોય તેમનું આ ષડયંત્ર હતું.
આ પણ વાંચો:
આજ સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત, ભાજપે રાજકોટ સહિત ગુજરાતભરમાં યોજી બાઇક રેલી
પત્રિકા વાયરલના વિવાદ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની પ્રતિક્રિયા સામે આવી છે. અતુલ રાજાણીએ ભાજપ સામે આક્ષેપ કર્યા છે અને તેમણે કહ્યું કે ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે પત્રિકા છપાવી તે કોઈ ગુનો નથી. ભાજપ દ્વારા ખોટી રીતે વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે.
આ મામલે થોડા દિવસ પહેલાં ચાર કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવકોની ધરપકડ કરાઇ હતી અને જે બાદ તેમને જામીન પર મુક્ત કરાયા હતા ત્યારે આ અંગે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આનો જવાબ મતદાનના દિવસે મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર