આમતો રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર અનેક વખત પોતાના મત વિસ્તારમાં વિકાસલક્ષી કામો માટે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્રો લખતા હોય છે. લવિંગજી ઠાકોરે લોકસભાની ચૂંટણી પત્યા બાદ રાધનપુર વિધાનસભા વિસ્તારમાં લીડ મળતા જ વિકાસ ના અલગ અલગ કામો માટે ચૂંટણી વીત્યા બાદ પત્ર લખ્યો હતો. તેવામાં ફરી લવિંગજી ઠાકોરે મુખ્ય મંત્રીને પત્ર લખી રેલ્વે ફાટક પર ઓવર બ્રિજ બનાવવા પત્ર લખ્યો છે.
રાધનપુર ધારાસભ્ય એ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે જેમાં સુવર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ હેઠળ રેલ્વે ફાટક ઓવર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.રાધનપુર નગર પાલિકા હદ વિસ્તારમાં કેસરિયા હનુમાન મંદિર બિલોટ રોડ તરફ જતા રેલ્વે ક્રોસ થાય છે .અહીંયા અવારનવાર માલ ગાડીઓ નીકળતી હોય છે તેવા સમયે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહન ચાલકો જ્યારે રેલ્વે પસાર થતી હોય છે ત્યારે મિનિટો સુધી રાહ જોવી પડે છે જેના કારણે ઇંધણ પણ મોટી માત્રામાં પવારાય છે અને આ પ્રશ્ન પણ જૂનો છે જેથી કાયમી નિકાલ થાય તે સારું કેસરિયા હનુમાન મંદિર રેલ્વે ક્રોસ પર ઓવર બ્રિજ બનાવવામાં આવે તેવો પત્ર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો છે.