અવારનવાર અકસ્માત ,આત્મહત્યા ના બનાવો વધી રહ્યા છે દિવસે ને દિવસે લોકો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે.
હારીજ-પાટણ હાઇવે પર પસાર થતી કુરેજા નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરૂવારે મોતની છલાંગ લગાવનાર યુવાનની લાશ ફાયર વિભાગ ના કમૅચારી ઓની ભારે શોધખોળ બાદ શુક્રવારે મળી આવતાં પોલીસે લાશનું પંચનામું કરી પીએમ માટે ખસેડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના ની મળતી માહિતી મુજબ હારીજ પાટણ માગૅ પર કુરેજા નમૅદા કેનાલમાં ગુરૂવારે ધોકાવાડા ગામના 31 વર્ષીય ભરત આહિર નામના યુવાને અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું જેઘટનાની જાણ હારીજ મામલતદાર અને પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોચી 31 વર્ષીય યુવાન ભરત આહીર ની શોધખોળ માટે ફાયર વિભાગ ના કમૅચારી ઓને કામે લગાડવામાં આવ્યા હતા અને કેનાલમાં છલાંગ લગાવનાર યુવાનના પરિવારજનો ને જાણ થતાં તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા .
1ક
જોકે કેનાલમાં છલાંગ લગાવનાર યુવક ની કેનાલમાં ગુરૂવારે હાથ ધરવામાં આવેલ પરંતુ શોધખોળ છતાં યુવક ની કોઇ ભાળ મળી ન હતી ત્યારે શુક્રવારે ફરીથી ફાયર વિભાગ ના કમૅચારીઓએ શોધખોળ હાથ ધરતા યુવક ની લાશ મળી આવતા પોલીસે લાશ નું પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.